પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Saturday, June 16, 2018

વર્ગખંડ અવલોકન - મા. શ્રી દક્ષાબેન ભાઉ

પ્રાથમિક શાળાઓમાં શાળા બહારનાં મુલાકતીઓ દ્વારા વર્ગખંડ અવલોકન પ્રક્રિયા સમયબદ્ધ રીતે થાય છે. એક સમય હતો, બહારથી કોઈ મુલાકાતી આવે ત્યારે બાળકો ડઘાઈ જતાં અને અવાચક બની જતાં. શિક્ષકની અપેક્ષા પ્રમાણે અપેક્ષિત બાળકો પણ જવાબ આપી નહોતા શકતાં. પરિણામ સ્વરૂપે શિક્ષકનું કાર્ય ઘણીવાર શંકાનાં દાયરામાં આવી જવાનો સંભવ રહેતો. સમય બદલાયો છે હવે ખાસ કરીને લોઅર પ્રાયમરીના બાળકો વધુ બોલકા અને નિર્ભીત જોવા અનુભવવા મળે છે. મુલાકાતીથી ગભરાતાં કે સંકોચાતાં નથી બલ્કે તેમની સાથે વાતે ચડી જાય છે.
દક્ષાબેન ભાઉ અમારી શાળાની મુલાકાતે હતાં. જે તે દિવસે ધોરણ - ૧ અને ૨ ના વર્ગશિક્ષક ચૂંટણી ફરજ પર હોવાથી શાળામાં  હાજર નહોતા. મેડમ વર્ગ અવલોકન માટે ગયા. બાળકો તેમની સામે ગોઠવાય ગયા, આપશ્રીએ પૂછેલા તમામ પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપ્યો. મેડમ રાજી થયાં. આ સુખદ અનુભવની બોલતી તસ્વીરો ......   





મુલાકાત : ગાંધીનું ગામ... પોરબંદર

વર્ષ - ૨૦૧૭ / ૧૮ નાં રાજ્યકક્ષાના ઇનોવેશન ફેર નું આયોજન સુદામાપૂરી પોરબંદર ખાતે રાખવામાં આવેલ હતું. રાજ્યકક્ષાનું આયોજન એટલે ઈનોવેટીવ શિક્ષકો અને એવા જ નિદર્શન અર્થે રાજ્યભરમાંથી આવેલા શિક્ષકોનો દબદબો ! પોતપોતાનાં જિલ્લામાંથી પસંદગી પામીને આવેલા નવતર પ્રયોગો જોવાનો અને માણવાનો સાથે નવું શીખવાનો અવસર !    
અંકલેશ્વર તાલુકાનાં પ્રતિનિધિત્વ સ્વ ઈચ્છા અને નવું જાણવાની જિજ્ઞાશા સાથે અમે ત્રણ મિત્રો : 
૧. હું પોતે (રમેશચંદ્ર બી. પટેલ - મુ. શિ. માટીએડ)  ૨. શ્રી કાંતિલાલ એલ. પટેલ (મ. શિ. અંદાડા કન્યા) અને ૩ જા શ્રી પ્રદિપભાઈ એસ. દોશી (મ. શિ. પાનોલી) 
અંકલેશ્વરથી ઉપડ્યા. દિવસે સૌરાષ્ટ્ર દર્શન કરતાં કરતાં રાત્રે પોરબંદર પહોંચ્યા. રાત્રિ રોકાણ થયું અને સવારે ઈનોવેશન ફેર જોયો અને માણ્યો, સાથે સુદામાનું જન્મસ્થળ અને ગાંધીનું ઘર કીર્તિમંદિર જોવાનો અને સમજવાનો મોકો પણ મળ્યો. કીર્તિમંદિર સ્મારક અને ગાંધીનાં ઘરમાં રહેલા પેલા અગિયાર વ્રતોના સ્પંદનો અનુભવ્યાં. સાથે પાછળનાં જ ફળિયામાં ડોકિયું કરી કસ્તુરબાનું ઘર પણ જોયું. આવા ઐતિહાસિક સ્મારકો કે જેની વાતો ડગલે ને પગલે આપણે બાળકો સાથે કરતાં હોઈએ ત્યારે તેને રુબરુ અનુભવવાનો અને પછી બાળકોને ફોટોગ્રાફ્સ બતાવી અનુભવ કરાવવાનો અવસર અનેરો રહ્યો.